Thursday, 13 May 2021

Plants To Increase Oxygen Levels. ( ઘરમાં ઑક્સીજન વધારતા પ્લાંટ્સ )

કોરોના એ આજે આખા વિશ્વ ને હંફાવી દીધું છે. બે વર્ષથી કોરોના એ પૃથ્વી પર પગપેસારો કર્યો છે. ત્યારથી માનવી બેબાકરો બની ગયો છે.કોરોના મહામારીમાં કુદરતે માનવીને એવી  રીતે જીવતા શીખવાડયું છે કે માનવી ક્યારેય કુદરતનો ઉપકાર ભૂલી ના શકે.


કોરોનાના લીધે માનવી એ ઘરમાં પુરવાનો વારો આવ્યો છે ત્યારે કુદરતે આ દ્રશ્ય નિહારી અત્યંત ખુશ થઈ છે. કોરોના ની પહલી લહેર માં માનવી થોડો ચેતી તો ગયો પણ જેમ જેમ માનવી નો જુસ્સો વધ્યો તેમ તેમ માનવી જેવુ કોઈ પ્રાણી આ દુનિયા પર નથી, માનવીને કોઈ ના હરાવી શકે એવું તેનું અભિમાન આજે ખોટું સાબિત થયું છે.માનવી નું પ્રકૃતિ સાથેનો સંબધ ઘણો આવશ્યક છે તે આજે કુદરતે  સાબિત કરી બતાવ્યુ. 

બીજી લહરમાં માનવી ઓક્સિજન માટે દર દર નો ભિખારી બનાવી દિધો છે. લાખોની કારો ધરાવતા અને આલીશાન બંગલા  ધરાવતા લોકોને પણ મે  ઓક્સિજન માટે દર દર ભટકતો  જોયા છે. આજનો માનવી  એ કુદરત સામે પોતાના હથિયાર નેવે મૂકી દીધા છે. 

ક્યારે એવું લાગે કે કોરોના ની ઉત્પતિ માનવીને ચેતવા માટે આવી હોય એવું લાગી  રહી છે. આદેડધ જંગલો નો વિનાશ , શહેરીકરણ  , મોઘીદાટ કારો દ્વારા નિકરતા ગેસોની  લીધે પૃથ્વી પરના નયનરમય વાતાવરણ ને બરબાદ કરી દીધું છે, પ્રાણીઓ પ્રત્યે ના અત્યાચાર વનસ્પતિ નું નિકંદન  થી  સૃષ્ટિ  ત્રાહિમામ પોકારી ઉઠી છે. 

કોરોના એ  માનવી ને અત્યંત જરૂરી ઓક્સિજન માટે પણ તે વલખાં મારે તેવો કરી દીધો છે, આજે આપણને  ઓક્સિજન શું  છે અને વનસ્પતિનું મહત્વ સમજાયું......

આજકાલ આપના શહેરનું આજુબાજુ નું વાતાવરણ અત્યંત ઝેરી બની ગયું છે. આજુબાજુની હવા છે તે આપણે લઈએ છે તે પણ આજે ઘણી પ્રદૂષણવારી થઈ ગઈ છે. આવી હવા શ્વાસ લેતા ઘણી અત્યંત ગંભીર બીમારીઓના શિકાર થઈ શકીએ છે.

આ  માટે હું આજે મારા કેટલાક ઘરે ઓક્સિજન આપતા છોડ પણ ઉગાડયા છે. તે માટેના કેટલાક અંશો હું અહી રજૂ કરીશ . અહી કેટલાક એવા છોડ છે જે ઘરમાં રાખી આપણે આપના ઘરમાં શુદ્ધ ઓક્સિજન મળે તેવી યોજના કરી શકીએ. 

1) પીપળો 


પીપળો 24 કલાક અને રાતના સમયમાં  પણ ઓક્સિજન આપે છે. તે માટે તેની બોંસાઈ પણ લગાવી શકાય.    

2) એલો વેરા

તેના જાડા પાનમાં પાણી નું માત્રા ઘણું છે. 24 કલાક ઓક્સિજન આપે છે. 

3) લીમડો 

તેની પણ બોનસાઈ બનાવી ઘરે ઉગાડી શકે છે.  તે પણ 24 ક્લાક ઓક્સિજન આપે છે. 

4) મની  પ્લાન્ટ 

તે ઘરમાના ટોકસીન ને ખેચી લે છે. ઘરને ઓક્સિજન થી ભરી દે છે.માટી અને પાની બંને માં ઉગાડી શકે છે. 

5) એરેકાં પાલ્મ 

આ છોડ ને તડકો જરૂરી છે. માટે વીકમાં એકવાર જ્યાં તડકો હોય ત્યાં મૂકી શકો છો. 

6) તુલસી 

તુલસી 24 કલાક ઓક્સિજન આપે છે. તેનો ઉકાળો બનાવી પીવાય  છે.

7) સ્નેક પ્લાન્ટ 

તે આસાનીથી ઉગાડી શકાય છે. air purifying પ્લાન્ટ છે. 

8) સ્પાયદર પ્લાન્ટ 

તેની  ઘણી  વેરાયતી  હોય છે. 

9) પીસ લિલી 

તેને સીધો પ્રકાશ માં ના મૂકી શકાય. તે  ઇંદૂર પ્લાન્ટ છે. 

10) બંબૂ     

લકી બંબૂ  પાણી , જમીના માં બંને ઉગાડી સકે છે.

11) રબર પ્લાન્ટ 

તે 24 કલાક ઓક્સિજન આપે છે. તે આર્ટિફિશ્યલ પણ હોય છે. અને તડકા પાસે પણ રાખી સકે છે. 

12) syngonium  પ્લાન્ટ 

બે કલર માં આવે છે. તે 24 કલાક ઓક્સિજન આપે છે. 


"  જેટલા વૃક્ષ કેળવશો , એટલા વૃક્ષ મેળવશો "


નોધ :-  ઉપરોક્ત બધા વૃક્ષો આપણાં ઘરે લાવી તેનું જતન કરવું ફરજિયાત છે . અંકલેશ્વર અને  આજુબાજુના શહેરો માં આ છોડો નજીવા ભાવે મળી આવે છે . માટે દરેક જણે પોતાના ઘરે આ છોડવા ઉગાડવા.   



પ્રકૃતિપ્રેમી 

AMIT RANA     

CONTACT  NO -8460286892    


No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...