Wednesday, 27 December 2023

વિદ્યાર્થીઓને ભણવામાં કેમ રસ નથી?

" માછલી પાણીમાં જ જીવી શકે છે, પરંતુ જો તેને વૃક્ષ ઉપર ચઢાવવામાં આવે તો તે ટકી શકતી નથી. કંઇક આવું જ છે આપણી શિક્ષણ પ્રથામાં, જયાં વિદ્યાર્થીઓને માર્કસની રેસમાં ઉપર લઇ જવાની કોશિશ કરવામાં આવે છે. સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં આવતી જ નથી, આજ એક એવી શિક્ષણ પ્રથાની જરૂર છે જયાં વિદ્યાર્થીઓને વિચારવાનો મોકો મળે. આજે એક એવી શિક્ષણ પ્રથાની જરૂર છે જયાં વિદ્યાર્થઓિને કોમ્પિટીશન કરતા વધારે મોટીવેશન મળી રહે. "
- અમીત રાણા 


👇નીચેના કારણો:-👇

👉Lack of Relevance (સુસંગતતાનો અભાવ)

🔸જ્યારે વિદ્યાર્થીઓ વાસ્તવિક દુનિયાની એપ્લિકેશનો અથવા તેઓ જે શીખી રહ્યાં છે તેની સુસંગતતા જોવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ રસ ગુમાવી શકે છે.

👉Pressure and Stress (દબાણ અને ચિંતા)

🔸હાઈ લેવલના શૈક્ષણિકમાં દબાણ અને ચિંતા, પછી ભલે તે માતાપિતા, શિક્ષકો અથવા સાથીદારો તરફથી હોય, અભ્યાસમાં વિદ્યાર્થીની રુચિ પર નકારાત્મક અસર કરી શકે છે.

👉Learning Difficulties (શીખવામાં સમસ્યા)

🔸અજ્ઞાત અથવા અસમર્થિત શીખવાની પડકારો નિરાશા અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં અરુચિ તરફ દોરી શકે છે.

👉Lack of Autonomy (સ્વાયત્તતાનો અભાવ)

🔸જો વિદ્યાર્થીઓને તેઓ શું શીખે છે અથવા તેઓ કેવી રીતે શીખે છે તેના વિશે કોઈ સ્વતંત્રતા ન હોય તો તેઓ ઉદાસીનતા અનુભવી શકે છે.

👉Distractions and Technology (ટેકનોલોજી)

🔸સ્માર્ટફોન, સોશિયલ મીડિયા અને વિવિધ અડચણો આવવાની સાથે, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પડકારજનક લાગી શકે છે.

👉Teaching Methods (અભ્યાસ કરવાની રીત)

🔸પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ જે લેક્ચરો, યાદ રાખવા અને થોડી ક્રિયાપ્રતિક્રિયા પર ખૂબ આધાર રાખે છે તે વિદ્યાર્થીઓમાં કંટાળો અને અરુચિ તરફ દોરી શકે છે.

👉Overemphasis on Grades (ગ્રેડ પર વધારે ધ્યાન)

🔸જ્યારે વાસ્તવિક શિક્ષણને બદલે માત્ર સારા ગ્રેડ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની આંતરિક પ્રેરણા ગુમાવી શકે છે.

👉Ineffective Learning Environment (બિનઅસરકારક શિક્ષણ વાતાવરણ)

🔸બિનસહકારી અથવા પ્રેરણાદાયક શિક્ષણ વાતાવરણ વિદ્યાર્થીના અભ્યાસ માટેના ઉત્સાહને અવરોધે છે.

👉Personal Issues (પર્સનલ પ્રોબ્લેમ)

🔸ઘરની સમસ્યાઓ, ભાવનાત્મક સમસ્યાઓ અથવા અન્ય વ્યક્તિગત પડકારો વિદ્યાર્થીને તેના અભ્યાસમાંથી વિચલિત કરી શકે છે.

👉Peer Influence (પીઅર પ્રભાવ)

🔸સાથીઓનો નકારાત્મક પ્રભાવ, જેમ કે અરુચિ ધરાવતા અથવા નિરાશ વિદ્યાર્થીઓ સાથે મિત્રતા, તેમના અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીના વલણને અસર કરી શકે છે.

👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

ગાયને આલિંગન કેમ કરવું જોઈએ ?

🐄ગાયનું પૂજન ફક્ત હિંદુઓ માટે જ છે. એમ માનવુ ભુલ ભરેલું છે. જેનામાં માણસાઇ છે. કૃતજ્ઞાતાનો ભાવ છે તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન છે.તેનો ઉપકાર સર્વમાટે છે. ભગવત ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં બત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ ખાસ કહે છે કે 'જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોમાં સમ દ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ટ મનાયો છે.'🐂

                    "गोस्तु मात्रा न विधते"     (ऋग्वेद)

👉🐂ગાયને આલિંગન કરવાને ડચ ભાષામાં કોવ ક્લુગેલેન કહે છે🐄👈

🔸ગાયને આલિંગન કરવા જતા લોકો સામાન્ય રીતે ખેતરમાં જાય છે અને પછી ગાયની સામે એક-બે કે ત્રણ કલાક આરામ કરે છે. 
🔹ગાયનું ઉષ્ણતાભર્યું શરીર, ધીમા ધબકારા અને વિશાળ કદ તેમને ભેટવાનો અનુભવ આનંદદાયક બનાવી શકે છે. 
🔸ગાયનાં શરીર પર હાથ ફેરવવો કે તેની સામે આરામ કરવો એ બધું ઉપચારાત્મક ક્રિયાનો એક હિસ્સો છે.
👉 ગાયને આલિંગન કરવાથી થતાં ફાયદા:-
૧) ગાયને આલિંગન કરવાથી સકારાત્મકતાને પ્રોત્સાહન મળે છે.
૨) આલિંગન ને કારણે માણસના શરીરમાં ઑક્સીટોસિન હૉર્મોનનું પ્રમાણ વધવાને કારણે માનસિક તણાવ ઘટે છે.
૩) પ્રાણીને આલિંગન કરવાથી વધારે શાંતિનો અનુભવ થતો હોય એવું લાગે છે.
૪) લોકોને પ્રકૃતિ તથા ગ્રામ્ય જીવનની નજીક લાવે છે.

👉ગાયને આલિંગન આપવાની આ નવી રીત, માણસ દ્વારા પ્રાણીને છાતી સરસું ચાંપવાના સહજ હીલિંગ ગુણધર્મો પર કેન્દ્રીત છે.
👉ગાયને આલિંગન કરવા જતા લોકો સામાન્ય રીતે ખેતરમાં જાય છે અને પછી ગાયની સામે એક-બે કે ત્રણ કલાક આરામ કરે છે.
👉ગાયનું ઉષ્ણતાભર્યું શરીર, ધીમા ધબકારા અને વિશાળ કદ તેમને ભેટવાનો અનુભવ આનંદદાયક બનાવી શકે છે.
👉ગાયનાં શરીર પર હાથ ફેરવવો કે તેની સામે આરામ કરવો એ બધું ઉપચારાત્મક ક્રિયાનો એક હિસ્સો છે.

.                   ( પ્રકૃત્તિ પ્રેમી અમીત રાણા)

"આપણા આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિના કારણે વૈદિક પરંપરા લગભગ વિલુપ્તિની કગાર પર છે. પશ્ચિમી સભ્યતાની ચકાચૌંધે આપણી ભૌતિક સંસ્કૃતિ અને વિરાસતને ભૂલાવી દીધી છે.આજે ઘણા ઓછા યુવા ગાયને પાસે જઈ ગાયને આલિંગન કરે છે." 
- અમીત રાણા


 👉''ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી'' જીવનનાં બઘા જ સ્તરોમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાયું છે. જે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, આયુવેદ, વગેરેમાં તથા આધુનિક સાહિત્યનાં લખાણમાં જણાવ્યું છે.

ગાયોની સેવા કરવી તેમનો વન વન ચરવા લઈ જવામાં ભગવાન શ્રીકૃષ્ણ, જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજતા. તેથી તેઓ 'ગોપાલ કૃષ્ણ' કહેવાતા. તેમણે કહ્યું હતું કે ''ગાયો મારી આગળ અને પાછળ રહે, ગાયો મારા હ્ય્ધ્યમાં રહે, અને હું તેમની વચ્ચે વાસ કરું છું '' 'गवा मध्ये वसामि अहम्'

ઋગ્વેદમાં 'माता रुद्राणां.' કહીને સ્પષ્ટ કહ્યું છે. ગાય રુદ્ર દેવોની માતાનાં રૂપમાં સમસ્ત સંસારનું કલ્યાણ કરનારી, વસુઓની પુત્રીનાં રૂપમાં સમૃદ્રિદાત્રી તથા આદિત્યોની બહેનનાં રૂપમાં, અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જનારી સાક્ષાત અમૃત નાભિ હોવાથી અમરત્વનું વરદાન આપનારી છું. એટલે પિતૃઓનાં શ્રાધ્ધ કરતી વખતે 'ગોગ્રાસ' મૂકવામાં આવે છે અને બોલવામાં આવે છે કે 'હે ત્રિલોક ની માતા ગાય. મેં ગ્રાસ મુક્યો છે તેને તમે ગ્રહણ કરો.

(૧) ગોમાતાનું સ્થાન : વેદોમાં ગાયનું માતા તરીકે વર્ણન છે. હકીકતમાં ગાય એ માનવ સમાજની માતા છે. કારણ કે બાળકની જન્મદાત્રી માતા છે. તે તો બાળકને વરસ-બેવરસ સ્તનપાન કરાવે છે. ત્યાર પછી આખી જીંદગી દુધ પાનારી માતા જ છે.

મહાભારતમાં ગાયના માટે સ્પષ્ટ લખાણ છે.

गाय: श्रेष्ठः पवित्राश्च पावन जगप उतमाः

ગાયો સંસારમાં ઉત્તમ, શ્રેષ્ઠ, પ્રવિત્ર કરનારી છે. જેના દહીં તથા ઘી વગર યજ્ઞાને કરવો સંભવિત નથી.

શરીર ની પુષ્ટિ માટે જેટલું ગાયનું દુધ મહત્વનું છે. તેટલું રોગ નિવારણ તથા પ્રાયશ્ચિત માટે ગોમૂત્ર અને ગોમય (છાણ) નું જ છે. એમ વસિષ્ઠ મુનિએ કહેલું છે.

પૂતના ના પ્રાણ હરણ કર્યા પછી પૂતનાના વક્ષ: સ્થલ રમતા બાલકૃષ્ણને ગોદમાં લઈ યશોદા માતા એ તેમની ચારે બાજુ ગોપુચ્છ ફેરવી,ગોમુત્રથી સ્નાન કરાવી તેના શરીર ઉપર ગોરજથી મર્દન કરી કેશવનાં બાર નામોથી તેની રક્ષા કરી હતી. (શ્રીમદ્ ભાગવત)

(૨) ગાયમાં રહેલ દેવતાઓ : 

ગાયમાં ચોત્રીસ કરોડ દેવતાઓ સમાયેલા છે. દરેક દેવ-દેવતા દેવીઓનું સ્થાન ગાયમાં સમાયેલું છે. આથી ગાયને પૂજનીય મનાય છે. ગાયમાતામાં ચારેયવેદો અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુવેદ એમ ચારેય વેદોમાં ગાયનું મહત્વ દર્શાવ્યું છે.

(૩) ''ગાયની પીઠમાં બ્રહ્મા, ગળામાં વિષ્ણુ, મુખમાં શિવજી. વચમાં બધા દેવી-દેવતાઓ, રૂંવાડામાં મહર્ષિઓ, પૂછમાં નાગ, પગની ખરીઓમાં આઠ પર્વત, મૂગમાં ગંગાજી આદિનદીઓ, બંને નેત્રોમાં સૂર્ય-ચંદ્ર, સ્તનોમાં વેદ, તથા ગોબર (છાણ)માં લક્ષ્મિ. આદિ વસેલા છે. આથી તે ગાય વરદાન આપનારી થાય'' ગાયનાં કાનમાં આપણી સમસ્યા બોલવાથી તે સમસ્યા દુર થાય છે.

ગાયની પ્રત્યેક વાતો - દુધ, દહીં, ઘી, મૂત્ર, છાણ, તથા ચામડી, હાડકા, વાળ અને શિંગડા બઘું જ માનવજાત ને માટે ઉપકારક છે. તેથી જ ઋગ્વેદમાં મંત્ર છે કે ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી.

गावो ना परमा मिता (બહ્મસુત્ર ૧૩/૧૪/ ગાયનું માનવ સમાજના પરમ મિત્ર તરીકેનું વર્ણન છે.

ગાયનું સમાજમાં એટલું મહત્વ અને ગો-ભક્તિ ની ભાવના આપી છે કે જ્યાં જ્યાં ગાયનાં પગલા પડતા તે ઘુળથી વાતાવરણ પવિત્ર થઈ જતું, તે લોકોમાં સૌભાગ્યશ્રી નું સુચક દર્શાવ્યું છે.

(૪) ગાયનું મહત્વ : ગૌધન એ આપણી ઐહિક સમૃદ્રિ નું મુળ છે. ઘનોમાં તેને ઉત્કૃષ્ટ ધન માનવામાં આવ્યું છે. આપણી જીવન વ્યવસ્થા કૃષિ પ્રઘાન રહી છે. અને કૃષિ નો બઘો આધાર સ્તંભ બળદ-ગોપુત્ર અને ગાયો પર છે.

જે ગાયોએ વરસો સુઘી માનવના કુટુંબને પાળી-પોષીને પુષ્ટ કર્યા. પોતાના પુત્ર બળદને માનવીના સુખ માટે આપી દીધો તેની ઉપકારીકાને ન ભૂલી શકાય તેવી છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ગાયની શ્રેષ્ઠતા વિષે ચ્યવન ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે ''આ સંસારમાં ગાયો સિવાય બીજુ કોઈ શ્રેષ્ઠ ઘન નથી. તેના ગુણોનું નામ અને કીર્તન કરવંુ, સાંભળવું,તેનું દાન આપવું, તેનું દર્શન કરવું. એની શાસ્ત્રો માં ખુબજ પ્રશંસા કરી છે.'' 

गव्या प्रशस्यते वीर ।। મહાભારતમાં તેથી જ કહેવાયું છે કે તીર્થસ્થાનું સ્નાન, બ્રહ્મભોજન, મહાદાન, ભગવત્સેવા, સમસ્ત વ્રતોની ઉપાસના, પૃથ્વીનું પર્યટન તથા સત્યભાષણથી જે પુણ્ય મળે છે. તે બઘું જ પુણ્ય કેવળ ગો-સેવાથી પ્રાપ્ત થાય છે. तव पूज्यं प्राप्पतेरादा केवलं धनु सेवाया ।

ગાયનું પૂજન ફક્ત હિંદુઓ માટે જ છે. એમ માનવુ ભુલ ભરેલું છે. જેનામાં માણસાઇ છે. કૃતજ્ઞાતાનો ભાવ છે તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન છે.તેનો ઉપકાર સર્વમાટે છે. ભગવત ગીતાનાં છઠ્ઠા અધ્યાયનાં બત્રીસમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ ખાસ કહે છે કે 'જે યોગી પોતાની જેમ જ સઘળા ભૂતોમાં સમ દ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ટ મનાયો છે.'

સમસ્ત ભારતની ચારિતાર્થ કરનારી ગાય એ ગૌરવ પૂણ સંપતિ છે. આપણે તેની પ્રત્યેની ભાવનાને યોગ્ય માન આપી તેના પ્રત્યેની કૃતજ્ઞાતા વ્યકત કરીએ.

(૫) ગાયનાં દુધમાં રહેલા તત્વો : ગાયના દુધમાં શરીરને જરૂરી બધા જ પોષક તત્વો છે. પાણી વગરનાં દુધમાં ૧૩ ટકા ઘનપદાર્થો રહે છે. બાકીનો ભાગ જલીયંશ છે. આ ૧૩ ટકામાં પ્રોટીન ૩થી૪ ટકા, ચરબી ૩થી૪ ટકા, સાકર ૪થી૫ ટકા, ક્ષાર અડધો ટકા, ખનીજો અડધો ટકા, વિટામીન અડધો ટકા

ગાયનાં દુધમાં કેલ્સિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડીયમ, પોટેશિયમ, કલોરિન, આર્યન, આયોડિન અને સલ્ફર જેવા ખનીજો હોય છે.

વિટામિન એ,બી,સી.ડી,ઈ,અને કે હોય છે.વિટામિન બી-૧૨ પણ હોય છે.

બાળકો, વૃધ્ધા, સગર્ભા,બીમારી અને અશક્તો ને માટે દુઘ ખોરાકની ગરજ સારે છે. તેઓને દુધમાંથી પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. ભેંસનાં દુઘ કરતા વઘારે સુપાચ્ય અને પચવામાં હલકું છે.

(૬) ગાયનાં દરેક પદાર્થો ઉપયોગી છે.

છાસ : ઝાડાને મટાડનારી ખાટી તુરી મીઠી, હિતકારી અને અક્ષિર વર્ધક, વાતહર, તૃપ્તિ કરનાર તથા પાચન ના ગુણો વધાર નારી છે.

માખણ : હિતકાર, બળ વધારનાર, રોગને સુધારનાર, બળને આપનારા, ઝાડાને રોકનાર, હરસ મટાડાનાર લોહી સુધારનાર બાળક અને વૃધ્ધને માટે અમૃત સમાન છે.

ઘી : ગાયનું ઘી આંખ માટે હિતકારી, જાતીય શક્તિ વધારનાર, પવિત્ર, અલશિક્ષ્મ, પાપ, રાક્ષસોના નાશ કરનાર, આયુષ્ય તથા બુધ્ધિ 

વધારનાર છે.

ગોમૂત્ર : આયુર્વેદમાં આઠ પ્રાણીઓના મુત્રનું વર્ણન કરેલ છે.તેમાં ગોમૂત્ર સર્વમાં શ્રેષ્ઠ છે. ચરક, સુુશ્રુત, ભાવપ્રકાશે ગોમૂત્રને પવિત્ર અને લોહી તથા કફનાં વિકારોમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે ગણેલ છે.તેમજ કબજીયાત, ઉધરસ, શ્વાસ, ચામડીના રોગો કરમિયાનો રોગ, ખંજવાળ નો રોગ, હાથી પગાનો રોગ, માટે ગૌમૂત્ર શ્રેષ્ટ ગણાવ્યું છે, હવે ગૌશાળામાં તેનો અર્ક કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનું છાણ પણ પવિત્ર ગણવામાં આવે છે. ઘર લીપવામાં તેનો પણ ઉપયોગ કરાય છે જેથી પવિત્રતા જળવાઈ રહે.

(૭) દરેક ધર્મમાં ગાયનું મહત્વ :

હિન્દુ ધર્મમાં તો ગાયને પવિત્ર માતા તરીકે પૂજનીય ગણાય છે.

ગાયનું દુઘ-ખૂદાની કૃપા પ્રસાદી મનાય છે. ગાયનું દુધ હંમેશા પીતા રહો કારણકે એ દવા છે. ગાયનું ઘી બીમારીઓ દુર કરે છે.

👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

Tuesday, 26 December 2023

બાળકોને પ્રકૃત્તિ 🌱 સાથે રમવા માટેનો સમય આવી ગયો છે.

"મને લાગે છે કે આજકાલના બાળકોના ઉછેરમાં જો કોઈ મોટામાં મોટી ઉણપ રહેલી છે તો એ એ છે કે, બાળકો આપણી આસપાસના બાકી વિશ્વ જેવા કે ઝાડપાન,પ્રાણીઓ, જીવજંતુઓ કે સરિસૃપોના જીવન સાથે સંકળાયેલા જ નથી. કોઈ પણ રીતે નહીં. માત્ર એમ જ મોટા થઈ જવું અને દરેક વસ્તુ આપણાં માટે જ છે એમ વિચારવું એ માણસજાત માટે સારી બાબત નથી."
                                                  - અમીત રાણા 
👉આજકાલ આપણે સહુ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ.ગરમીનો પ્રકોપ અતિશય ઠંડી, વધારે કે ઓછો વરસાદ આ બધા પ્રાકૃતિક સંતુલનના સંકેતો એ આવી રહેલા ગ્લોબલ વોર્મિંગના ભયંકર પરિણામોના એલાર્મ છે જે વિશે આપણે જાણીએ તો છીએ પણ વ્યક્તિગત રીતે એમાં સુધારો થાય એ માટે ખાસ કશું કરતા નથી. ત્યાં સુધી તો વાતચીત છે પણ આપણા બાળકોને પણ એ વિશે આપણે વાકેફ જ કરતા નથી. આપણા જીવનને ટકાવવા માટે સમષ્ટિના પ્રકૃતિના બધા જ તત્વો, વૃક્ષો, વનસ્પતિ, નદીઓ, પંખીઓ, પ્રાણીઓ બધાનું એક સરખું મહત્વ છે. આપણા બાળકો ખાસ કરીને શહેરી જીવનમાં રહેતા બાળકો પ્રકૃતિથી ઘણા વિખૂટા પડી ગયા હોય એવા સંજોગો નિર્માણ થયા છે.બાળકોને આકાશ, દરિયો, પક્ષીઓ, વૃક્ષો, ફૂલો, નદીઓ, તળાવ વગેરેથી સાચા અર્થમાં પરિચિત કરાવીએ તેનો સમય આવી ગયો છે.
👉આપણે બધા જાણીએ છીએ કે પ્રકૃતિ સાથે સંપર્ક કેટલો ફાયદાકારક છે.🌱
🔸મોટા શહેરોમાં જીવન, જવાબદારીઓ અને નવી તકનીકીઓનો વિકાસ આપણને પ્રકૃતિથી વધુને વધુ કનેક્ટ કરે છે. બાળકો, જેઓ એક સમયે શાળામાંથી પાછા આવતાં સમયે  ઝાડ પર ચડતા અથવા પોડલ્સ પર પગ મૂકતા હતા, હવે તેઓ ટેબ્લેટ અથવા મોબાઇલ સ્ક્રીનની સામે કલાકો વિતાવે છે, જે આઉટડોર રમત દ્વારા પૂરા પાડવામાં આવતી ઉત્તેજનાથી વંચિત રહે છે.

👉પ્રકૃતિ સાથેનો સંબંધ આપણા બાળકોને અનુભવવા અને તેમના પોતાના અનુભવો દ્વારા વિશ્વ કેવી રીતે કાર્ય કરે છે તે શોધવા માટે આદર્શ છે. આ રીતે, જીવંત અને સીધા શિક્ષણની તરફેણ કરવામાં આવે છે. આ ઉપરાંત, તે સંરક્ષણ પેદા કરવાનો એક માર્ગ છે, કારણ કે જમીન, પાણી અને પ્રાણીઓનો સંપર્ક તેમને રોગકારક સુક્ષ્મસજીવો પ્રત્યે વધુ પ્રતિરોધક બનાવે છે.
🔸 જે બાળકો પ્રકૃતિના સંપર્કમાં ઉછરે છે તેઓ પર્યાવરણ પ્રત્યે ઓછો તણાવપૂર્ણ, વધુ જાગૃત અને આદરકારક હોય છે, અને શારીરિક અને ભાવનાત્મક રીતે વધુ સંતુલિત હોય છે. તેમ છતાં, હું જાણું છું કે રોજિંદા જીવનના ઝગમગાટ અને નવી તકનીકો દ્વારા ઉત્પન્ન થયેલ સ્પર્ધા વચ્ચે, પ્રકૃતિ સાથેના આ જોડાણને ફરીથી મેળવવું મુશ્કેલ લાગે. 
👉🌱કોઈ વસ્તુને પ્રેમ કરવા માટે તમારે પ્રથમ તે જાણવું આવશ્યક છે. તેથી, જો આપણે ઇચ્છીએ છીએ કે અમારા બાળકો પ્રકૃતિની સંભાળ, આદર અને મૂલ્ય શીખતા હોય, તો આપણે તેમનાથી સંપર્કમાં રહેવા દઈએ તે શ્રેષ્ઠ છે. આદર્શ એ છે કે કુદરતી વાતાવરણમાં જીવવું અથવા ઓછામાં ઓછું નિયમિતપણે તેની મુલાકાત લેવાનું સક્ષમ હશે. પરંતુ આપણે બધા તે ભાગ્યશાળી નથી, તેથી આપણે વિકલ્પોની શોધ કરવી પડશે.

૧) બાળકોને તેમના વાતાવરણની કુદરતી વસ્તુઓથી પરિચિત કરો. ઉદ્યાનો, બગીચા અથવા નજીકની કુદરતી જગ્યા પર શક્ય તેટલું આગળ જવાનો પ્રયાસ કરો. તેમને ચલાવવા, પ્રયોગ કરવા અને ગંદા થવા દો.
૨) તમે પક્ષીઓ, ફૂલો, ઝાડ, જંતુઓ અથવા કોઈપણ વસ્તુને અવલોકન કરી શકો છો જે તમારી રુચિ ઉત્તેજિત કરે છે.
૩)છોડ અને ફૂલો જાણવા તેમને સહાય કરો. ઘરે કોઈ વાસણ અથવા મીની બગીચો રોપશો. તેમને તેમના ભાગો, તેમના ઉપયોગો, કાળજીની જરૂર છે, નામો બતાવો. તેમને કેવી રીતે જન્મે છે, વૃદ્ધિ થાય છે અને તેઓને જીવન જીવવાની કઈ સંભાળની જરૂર છે તે શોધવા દો. તમે આખી પ્રક્રિયાને નિરીક્ષણ કરવા માટે બીજ રોપણી કરી શકો છો અથવા મીની બગીચો બનાવી શકો છો.
૪) જ્યારે પણ દેશભરમાં, સમુદ્રમાં અથવા પર્વતોમાં ફરવા જાઓ. તમે સપ્તાહના અંતે હાઇકિંગ પર જઈ શકો છો, કેમ્પિંગમાં જઈ શકો છો, બાઇક ચલાવી શકો છો અથવા પિકનિક પર જઈ શકો છો. ચોક્કસ બાળકો અને પુખ્ત વયના લોકો બંને ખૂબ જ આનંદ લેશે.
૫) ફાર્મ અથવા ઇકો રિઝર્વની મુલાકાત લો. સદભાગ્યે ત્યાં બાળકોને ગાયનું દૂધ આપવું, ઘોડો સવારી કરવી અથવા તાજી મૂકેલી ઇંડા પકડવી જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને તે પણ ભાગ લેવાની મંજૂરી આપવા માટે સમર્પિત વધુ અને વધુ જગ્યાઓ છે.
૬) મોસમી પરિવર્તન માટે વાકેફ બનો. તમે અવિનિત વિધિ સાથે અયનકાળ અને વિષુવવૃત્ત્વોના આગમનની ઉજવણી કરી શકો છો, મોસમી વાનગીને સજાવવા અથવા રાંધવા માટે કુદરતી સામગ્રી એકત્રિત કરો.
૭) તેમને બતાવો આપણી પ્રાકૃતિક વારસો જાળવવાનું મહત્વ. પ્રદૂષણના નુકસાન, રિસાયક્લિંગનું મહત્વ અને વસ્તુઓને બીજું ઉપયોગી જીવન આપવું, પર્યાવરણને કેવી રીતે સાચવવું વગેરે.
૮) તમારા બાળકોને છોડવાઓને પાણી આપવાનું કહો, કાદવ માં રમવાનું કહો, ઝાડ ઉપર ચઢવું ,વરસાદથી ભીના થવું અથવા પુડલ્સમાં કૂદકો. કપડાં વિશે ચિંતા કરશો નહીં, એક ગંદા બાળક તે બાળક છે જેણે આનંદ કર્યો છે.
પ્રમાણસર તેમના માટે પ્રાણીઓની દુનિયા માટે પ્રસંગો. ૯) કૂતરાં, બિલાડીઓ, પક્ષીઓ, જંતુઓ, ગોકળગાય વગેર સાથે રમવા દો. તેઓ તેમની જરૂરિયાતો અને જીવનની રીતો તેમને પ્રેમ કરવા અને આદર આપતા શીખે છે.
૧૦) તેમને બતાવો પ્રકૃતિ પરિવર્તન પર ઉદાહરણો હવામાન પરિવર્તન, ઠંડી, વરસાદ, દુષ્કાળ, વગેરે.
કોઈપણ પ્રસંગનો લાભ લો કુદરતી સાથે જોડાવા. એક તારાવાળી રાત્રિ અથવા પૂર્ણ ચંદ્ર, શેલો એકત્રિત કરતી બીચ પર ચાલવા, એક વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું નિરીક્ષણ કરવું. તમારી નજીકના જંગલો, બીચ અથવા નદીની સફાઇ માં કામે લગાડો.
👉આજકાલના બાળકોને કદાચ આપણી આસપાસની ખુલ્લી જગ્યાઓ પૂરતા પ્રમાણમાં નથી મળી રહી.

🔸સાર :- બાળકો આપણી આસપાસના અન્ય જીવોના જીવનોથી થોડાક પણ માહિતગાર નથી, કુદરત સાથે સહેજ પણ સંપર્ક નથી. માત્ર ઉપરછેલ્લું જોડાણ રહેલું છે. આપણી શાળાઓએ આ બાબતની કાળજી લેવી જ જોઈએ. .તમે તમારી આસપાસના દરેક જીવનને એ રીતે જુઓ કે તેને આ ગ્રહ ઉપર જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ આપણાં કરતાં ઘણા પહેલેથી અહીં અસ્તિત્વ ધરાવે છે. જે આપણી માનવતાને ખીલવવા માટે ઘણું જ અગત્યનું છે.
👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

ભરૂચના પીળીચાંચ ઢોંક બગલો


રૂપરૂપનો અંબાર અને જોઈને ચિત્ર કરવાનું મન થઇ ઉઠે તેવું સુંદર અને મોટું પક્ષી એટલે રંગીન પીળીચાંચ ઢોંક. સ્થાનિક પીળી ચાંચ ઢોંક બારમાસી સ્થાનિક પક્ષી છે. ઢોંક ને જોઈને ઓળખી શકો પરંતુ તેઓની બારીકાઇ અને રંગરૂપ ન સમજો તો તેઓની પેટા જાતિ ઓળખી નહિ શકો. આપણે ત્યાં વિવિધ ૭ પ્રકારના ઢોંક હોય છે અને સામાન્ય રીતે ઢોંક પક્ષી રંગરૂપ પ્રમાણે ઓળખાય. ઢોંકના મુખ્ય રંગ સફેદ અને કાળા હોય છે. આ સફેદ અને કાળા ઢોંક ભારતમાં શિયાળામાં યુરોપથી આવી ચઢે છે. એક જમાદાર ઢોંક પૂર્વ ભારતમાંથી ચોમાસામાં ક્યારેક આવી ચઢે જ્યારે બાકીના બધા ઢોંક બારમાસી સ્થાનિક ઢોંક હોય.

પીળીચાંચ ઢોંક પક્ષી રંગે રૂપે ખુબજ દેખાવડું છે. બીજા ઢોંક કરતા દેખાવે વધારે રંગીન. નર અને માદા બંને દેખાવે સરખા હોય છે. પાંખમાં ઘેર લીલાશવાળા કાળા પટા હોય છે અને છાતીએ કાળો પટો હોય અને પૂંછડી પણ કાળી હોય છે. લાંબી અને ખુબજ મજબૂત સુંદર ચાંચ નારંગી અને પીળા રંગની હોય છે જે છેડેથી થોડી વળેલી હોય છે. ચાંચનો આકાર તેઓના ખોરાક ને કારણે તેમજ સ્વબચાવમાં ઉપયોગી થાય માટે કુદરતે આવો બનાવેલો છે. પાંખના પીંછા ગુલાબી રંગના અદભુત હોય છે જે પ્રસરાવે ત્યારે પૂંછડી ગુલાબી હોય તેવો ભાસ ઉભો થાય જ્યારે તેઓના નાના પીંછા કાળા રંગના હોય છે. પગ આછા ગુલાબી કે લાલાશ ઉપર રતુંમ્બડા હોય છે. તેઓના બચ્ચા પુખ્ત કરતા જુદા તરી આવે છે. છાતીમાં પટો ન હોય અને આછા બદામી રંગના દેખાય. તેઓનું શરીર ઘણું ભરાવદાર હોય છે અને તેઓ બોલી શકતા નથી પરંતુ તેઓની ચાંચના ઉપર અને નીચેના બે ફાડિયા એકબીજા સાથે અથડાવે ત્યારે જે અવાજ થાય તે તેમની બોલી સમજવી.

પાણીમાં ધીમે ધીમે કાદવને ખૂંદતું, મુશ્કેલીથી ચાલતું અને ખોરાક શોધતું જોવા મળે છે. પાણીના જળાશય, પાણી ભરેલા ખેતરો, મીઠાના અગરો પાસે કે જયાં પાણી ભરાયેલું હોય છે તેવી જગ્યાએ, દરિયાકાંઠાના છીછરા વિસ્તારમાં, નદી, નહેરો અને તળાવ જેવી જગ્યાઓએ કે જયાં આસાનીથી ખોરાક મળી રહે તેવી જગ્યાએ રહેતા હોય છે. પાણીના વિવિધ જીવ જેવાકે દેડકા, નાની માછલી, ગોકળગાય અને વિવિધ પ્રકારના જીવડાં ખાય છે અને ઊંડા પાણીમાં જઈને ખોરાક શોધી લાવે છે. માછલીને જ્યારે ખાવા માટે ચાંચમાં પકડે છે ત્યારે માછલી પોતાનો જીવ બચાવવા માટે ખુબજ ઝાટકા મારે છે પરંતુ તેની મજબૂત ચાંચની રચના તેને ચાંચની પકડમાંથી માછલીને છટકવા નથી દેતી. લગભગ ૨૪ સે.મી લાંબી ચાંચ ૧૮ સે.મી બાદ આશરે ૧૧ ઔંશ ગોળાકારે વળેલી હોય છે અને તે કારણે જ્યારે પીળીચાંચ ઢોંક બગલાની જેમ સ્થિર ઉભેલો હોય ત્યારે ચાંચનો વળાંક ઓછો દેખાય છે. તેઓની ચાંચ એક ઊંડા અભ્યાસનો વિષય બની ગયો છે. ખોરાક માટે સ્થિર ઉભા રહી અથવા ધીરે ધીરે ચાલીને ચાંચને થોડી ખુલ્લી રાખી, ચાંચને પાણીમાં પોતાની બેઉ બાજુ ધીરે ધીરે ફેરવે છે.

ચોમાસુ તેમની પ્રજનનની ઋતુ હોય છે. તેવા સમયે પાણીમાં તેમને અનુકૂળ વર્ણવેલ ખોરાક આસાનીથી મળી રહે છે. તેઓ પાણીની નજીક વૃક્ષ ઉપર સાંઠીકડા સળીઓથી મોટા અને અનુકૂળ માળા બનાવે છે. તેઓ બીજી જાતના ઢોંક/ બગલાઓના માળાના સમૂહ પાસે પણ માળા બનાવે છે. મેં મહિનાની મધ્યમાં માળા બનાવ્યા હોય તેવા માળા ચોમાસામાં બનાવેલા માળા કરતા વધારે મજબૂત હોય છે. તેઓ મૉટે ભાગે એકજ જગ્યાએ પાંચથી દસના સમૂહમાં સમૂહમાં માળા બનાવે છે. એક ઋતુમાં ૨ થી ૫ ઈંડા મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને ચોમાસુ પૂરું થાય અને ઠંડક શરુ થાય તેટલે ઈંડા મુકાતા હોય છે. તેઓનું આયુષ્ય ૨૦ થી ૩૦ વર્ષનું હોય છે. જે માદા ઋતુમાં શરૂઆતમાં ઈંડા મૂકે છે તેઓના ઈંડાની સંખ્યા વધારે જોવા મળે છે. લગભગ એક મહિના શુધી ઈંડા સેવે છે અને ત્યાર બાદ બે મહિના પછી બચ્ચા ઉડતા થાય છે.

ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.


Monday, 25 December 2023

હજારો કિલોમીટર ની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મેહમાન બન્યા.

👉હજારો કિલોમીટર ની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મેહમાન બન્યા.

👉સાઇબિરિયથી અંદાજે આશરે 5000 કિલોમીટર નું અંતર કાપી ભરૂચમાં મહેમાન બન્યા.પક્ષીઓનો કલરવ નિહાળવાનો નઝારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે.ત્યારે હજારો માઈલ દૂરથી ઊડીને આવતાં અવનવાં પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘરઆંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને
સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર
પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ
પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને
પોતાના જે – તે સ્થાન પર પહોંચતા હોય છે.

🔸ગુજરાતી માં તેને ઘોમડો કહે છે
 🔸શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.
🔸ધોમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓમાં અલગ અલગ રીતે માથા,પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદનાં આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. ધોમડાની કેટલીક પ્રજાતિઓ સ્થાયી હોય છે, જ્યારે કેટલીક પ્રજાતિઓ યાયાવર એટલે કે ઋતુ પ્રમાણે સ્થળાંતર કરતી હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધોમડો, શ્યામશિર ધોમડો, ગુલાબી ધોમડો, પીળા પગવાળો ધોમડો વગેરે છે.દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે.ઓસ્ટ્રેલીયાથી મોટી સંખ્યામા સીગલ પક્ષી અહીં શિયાળો ગાળવા માટે આવે છે. 
ગુજરાતીમાં તેને ધોમડા પણ કહે છે. સીગલના બે ગ્રુપ હોય છે, જેમાં નાના સીગલ અને મોટા સીગલ, જેમાં નાના સીગલના પણ ત્ર્ાણ પ્રકાર છે, બ્લેકહેડ જેનું માથું કાળુ હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર જેની ચાંચ વાંકી હોય છે. જ્યારે મોટા સીગલમાં પલાસીસ ગલ બ્લેકહેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે. લેઝર બ્લેક ગલ, કાસ્પિયન ગલ વગેરે તેના પ્રકાર છે. સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે, તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીનો શિકાર પણ કરે છે. 

🔸પર્યાવરણ પ્રેમી અમિત રાણા એ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે. જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે, ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકશાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાય છે.ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર્ા નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે.

🔸સીગલ પક્ષીઓ ઉત્તર ધ્રુવના અલગ-અલગ દેશોમાંથી ભારત આવે છે, જેમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂવર્ીય વિસ્તારોમાંથી મોંગોલિયા તુર્કમેનિસ્તાન રસિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે. યાયાવર પક્ષીઓમાં સીગલ પક્ષીઓ ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી, અહી માત્ર્ા શિયાળો પસાર કરવા આવે છે


ભરૂચમાં " *પર્યાવરણ* ક્ષેત્રે" ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

YouTube પર આ વીડિયો જોવાની લીંક

Thursday, 21 December 2023

કેનેડામાં નવસારીના વિદ્યાર્થીનો ગાડીનો હીટર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડ ને લીધે મોત થયું આના પરથી આપને દરેક લોકોએ શિયાળાની ઋતુમાં શું કાળજી રાખવી જોઈએ??


👉કાર્બન મોનોક્સાઈડ એ શું છે?
🔸કાર્બન મોનોક્સાઇડ એક સ્વાદહીન, રંગહીન, સુગંધહીન ગેસ હોય છે જે ઈંધણની બાષ્પમાં હોય છે જેમાં કાર્બન જેમ કે લાકડી, કોલસો અને ગેસોલીન હોય છે. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ એક બહુ ઘાતક બીમારી છે જે ત્યારે થાય છે. જ્યારે લોકો કાર્બન મોનોક્સાઇડને શ્વાસ દ્વારા અંદર લે છે.
👉કાર, નાના ગેસોલીન એન્જિન, સ્ટવ, લાલટેન, ભઠ્ઠી, તવી, ગેસ રેન્જ, પાણીથી ચાલતા હીટર અને કપડાં સૂકવવાનું ડ્રાયર પણ કાર્બન મોનોક્સાઇડ છોડી શકે છે. આ ઝેરનો પ્રભાવ ત્યારે વધુ પડે છે જ્યારે જે-તે યંત્ર એક બંધ રૂમમાં હોય છે અને તે રૂમમાં હવાની અવર-જવર ઓછી હોય છે અથવા હોતી નથી. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ આગ લાગતા ધુમાડો શ્વાસમાં લેનારા દર્દીઓને થઇ શકે છે. એક તૃતિયાંશથી વધુ દર્દીઓ કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગને લીધે મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તેઓ ઊંઘમાં હોય છે.
👉શરીરમાં હિમોગ્લોબીન સાથે શું કરે છે જેથી મૃત્યુ થાય છે?
🔸👉એકવાર અંદર લેવામાં આવેલો કાર્બનમોનોક્સાઇડ તમારા ફેફસા દ્વારા લોહીમાં જાય છે જ્યાં હીમોગ્લોબિન સાથે જોડાય છે જે સામાન્ય રૂપે ઓક્સિજન દ્વારા લેવામાં આવે છે. ઓક્સિજન હીમોગ્લોબિનના અણુઓમાં નથી જઇ શકતો જેમાં પહેલેથી જ કાર્બન મોનોક્સાઇડ જોડાયેલો હોય છે જેવો સંપર્ક ચાલુ રહે છે આ ગેસ વધુ ને વધુ હીમોગ્લોબિન અણુઓને પોતાના કબજામાં કરી લે છે અને ધીમે-ધઈમે પૂરતો ઓક્સિજન લઇ જવાની ક્ષમતા ઓછી કરી દે છે જેનાથી તમારા શરીરની ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ નથી થઇ શકતી. ઓક્સિજન વગર એક એક કોષનો નુકસાન થાય છે અને તે મરી જાય છે, ખાસ કરીને જરૂરી અંગોમાં જેમ કે મગજ અને હૃદય.
👉જ્યારે અશ્મિભૂત ઇંધણ મર્યાદિત માત્રામાં હવા (ઓક્સિજન) માં બાળવામાં આવે છે, ત્યારે દહનના ઉત્પાદનો CO અને H2O છે. કાર્બન મોનોક્સાઇડ સૌથી ખતરનાક હવા પ્રદૂષક છે. કાર્બન મોનોક્સાઇડ જ્યારે શ્વાસમાં લેવામાં આવે છે ત્યારે તે લોહીમાં હિમોગ્લોબિન સાથે કાર્બોક્સીહેમોગ્લોબિન બનાવે છે. કાર્બોક્સિહેમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરી શકતું નથી. આ પેશીઓમાં ઓક્સિજનની ઉણપનું કારણ બને છે, પરિણામે ગૂંગળામણ અને મૃત્યુ પણ થાય છે.

🔸હાલ ઠંડીની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન, ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારના લોકો ઠંડીથી બચવા માટે સગડીનો ઉપયોગ કરે છે. પરંતુ, તેમના ઉપયોગ કરવા સાથે થોડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.
🔸 અમીત રાણા નુંકહેવું છે કે,
 ૧)બંધ રૂમમાં ક્યારેય પણ સગડી ના પ્રગટાવવી જોઈએ, ૨)તાપનું નહીં કરવું જોઈએ બંધ રૂમમાં.
૩)મચ્છરની કોઇલ કે દવા ચાલુ કરી રાતે સુઈ નહીં જવું.કારણ કે આગને કારણે નીકળતો કાર્બન મોનોક્સાઈડ જીવલેણ બની શકે છે.
૪) બંધ ગાડીમાં કોઈ દિવસ બેસવું નહીં ,હીટર લાંબા સમય ચાલુ રાખવું નહીં. એવું હોય તો સર્ક્યુલેશન ચાલુ કરો પરંતુ વધારે લાંબા સમય સુધી પણ નહીં રહેવું જોઈએ.

👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

Wednesday, 20 December 2023

દીપડો ભરૂચના ગામોમાં કેમ ઘૂસે છે?


👉દીપડાઓ ઘણું કરીને વનોની બહાર જ ફરે છે.અને માનવ વસવાટ નજીક રહે છે. બગીચાઓ અને શેરડીના ખેતરો જેવી પાકની જમીનો જે માનવ વસવાટ નજીક હોય છે, તે દીપડાઓ માટે છુપાવવાનું અનુકૂળ સ્થળ છે. કારણકે તે દીપડાઓ માટે ખોરાક, પાણી અને આશ્રય સ્થાન સરળતાથી મળી રહે છે.

૧) નાશ પામતા વનો અને શિકાર.
૨) ગામડાઓમાં ભક્ષ્યની વિપુલતા.
૩) દિપડો અનુકૂલિત પ્રાણી છે તેને રહેવા માટે વનવિસ્તર જેવો મોટો વિસ્તારની જરૂર નથી. તેને માનવ વસવાટના નાના ગામડા જેવી નાની જગ્યાઓમાં પણ તે આશ્રયસ્થાન રહી શકે છે.


Tuesday, 19 December 2023

ભરૂચમાં કોનોકાર્પસ વૃક્ષ 🌱

👉🌱કોનોકાર્પસ વૃક્ષ એક એવું વૃક્ષ છે જે તેના સુંદર દેખાવ અને સરળ ઉછેર માટે જાણીતું છે. આ વૃક્ષ ઝડપથી વધે છે અને ઓછી સંભાળની જરૂર હોય છે. તેથી જ, તેને ઘણીવાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે તેમજ વાડ કરવા માટે વાવવામાં આવે છે. પરંતુ હાલ સ્વાસ્થ્ય ને હાનિ લઈ કોનોકાર્પસ વૃક્ષ ચર્ચા માં છે.

👉🌱કોનોકાર્પસ વૃક્ષની વિશેષતાઓ:- 
🔸કોનોકાર્પસ વૃક્ષની ઊંચાઈ 15 થી 25 મીટર સુધી હોય છે.
🔸તેના પાંદડાં નાના અને હૃદય આકારના હોય છે.
🔸તેના ફૂલો સફેદ કે પીળા રંગના હોય છે.
🔸તેના ફળો નાના અને લીલા રંગના હોય છે.

👉🌱કોનોકાર્પસ વૃક્ષની ઉપયોગિતાઓ:-
🔸કોનોકાર્પસ વૃક્ષનો ઉપયોગ શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે થાય છે.
🔸તેનો ઉપયોગ બાગ-બગીચામાં વાવવા માટે પણ થાય છે.
🔸તેના લાકડાનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે.

👉🌱કોનોકાર્પસ વૃક્ષના નુકસાન:- 
🔸તેના મૂળિયા ખૂબ જ વિસ્તરે છે, જેનાથી રસ્તાઓ, ડ્રેનેજ સિસ્ટમો અને અન્ય માળખાને નુકસાન થઈ શકે છે.
🔸તેના પાંદડાં ઝડપથી ખરી જાય છે, જેનાથી ખાતરી થાય છે કે રસ્તાઓ અને અન્ય સપાટીઓ પર સ્લીપરી બને છે.
🔸તે ઘણા પ્રકારના જીવાતો અને રોગોનું ઘર હોઈ શકે છે.
🔸તે તળિયા નું પાણી ઘણા પ્રમાણ માં શોષણ કરે છે.
🔸તેના ફળો અને પાંદડાઓમાં ઝેરી તત્વો હોય છે. તેથી પશુઓ અને માનવો માટે હાનિકારક હોઈ શકે છે.

👉🌱કોનોકાર્પસ વૃક્ષની હાનિકારક અસરો:-
કોનોકાર્પસ વૃક્ષ એક પ્રકારનું લીલુંછમ, સુંદર અને આકર્ષક વૃક્ષ છે. જો કે, આ વૃક્ષની કેટલીક હાનિકારક અસરો પણ છે. આ અસરોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
🔸પાણીની ખેંચને સહન કરી શકે છે. તેથી તેનાથી ભૂગર્ભજળનું સ્તર નીચું જાય છે. કોનોકાર્પસ વૃક્ષો પાણીની ખેંચને સહન કરી શકે છે. તેથી, તેઓ સૂકી જમીનમાં પણ ઊગી શકે છે. જો કે, આનો અર્થ એ છે કે તેઓ ભૂગર્ભજળમાંથી પાણી ખેંચી શકે છે. આનાથી ભૂગર્ભજળનું સ્તર નીચું જઈ શકે છે, જે અન્ય વૃક્ષો અને પાણીના સ્ત્રોતો માટે નુકસાનકારક હોઈ શકે છે.
🔸તેના મૂળિયા ખૂબ જ મજબૂત હોય છે. તેથી તે રસ્તાઓ અને ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. કોનોકાર્પસ વૃક્ષોના મૂળિયા ખૂબ જ મજબૂત હોય છે. તેથી, તેઓ રસ્તાઓ અને ઇમારતોના પાયાને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી રસ્તાઓ અને ઇમારતોને નુકસાન થઈ શકે છે અને તેમને બદલવાની જરૂર પડી શકે છે.
🔸તેના ફળો અને પાંદડાઓમાં ઝેરી તત્વો હોય છે. તેથી પશુઓ અને માનવો માટે હાનિકારક હોઈ શકે છે. કોનોકાર્પસ વૃક્ષના ફળો અને પાંદડાઓમાં ઝેરી તત્વો હોય છે. જો પશુઓ અથવા માનવો તેમને ખાય તો તેમને ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. આમાં ઉબકા, ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવોનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, તે મૃત્યુ પણ પહોંચાડી શકે છે.

-ઉપરની બાબતો વૈજ્ઞાનિકો ના સંશોધન દ્વારા થયેલા છે. એમાં એડમીન ની કોઈ દખલગીરી નથી. ફક્ત લોકોને જાગ્રત કરવા માટે છે.

- અમિત રાણા

👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને  કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

Sunday, 17 December 2023

ભરૂચમાં નિલગાય નો ત્રાસ

👉ભરૂચ જિલ્લામાં નીલ ગાયનો ત્રાસ 👈
🔸ગુજરાતમાં નીલગાયના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહી છે અને હાઈવે પર પણ તેના કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે, તેને સંરક્ષિત પ્રજાતી છે ત્યારે વધુ ચિંતાની વાત એ છે કે રાજ્યમાં આ નીલગાયની વસ્તી છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 117.27% વધીને 2,51,378 થઈ ગઈ છે.
🔸ગિર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણમાં 2,51,378 બ્લુ બુલ્સ નોંધાયા છે જે 2011માં 1,19,546 હતા. 2011 થી અત્યાર સુધીમાં આવા ત્રણ સર્વે હાથ ધરવામાં આવ્યા છે.
🔸નીલગાયને કાનૂની રક્ષણ મળે છે કારણ કે આનો વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, 1972ની અનુસૂચિ-III માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રાણી, જે સંરક્ષિત પ્રજાતિ છે, તે ખેડૂતો માટે પણ ખતરો છે અને ઘણા માર્ગ અકસ્માતોનું કારણ છે,” રાજ્યના વન વિભાગ (Forest Department) ના અધિકારીએ જણાવ્યું હતું. આ જાનવરનો શિકાર કરવા પર ત્રણ મહિનાની જેલ અથવા નાણાકીય દંડ અથવા બંને સજા થઈ શકે છે.

👉ભરૂચમાં " *પર્યાવરણ* ક્ષેત્રે" ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને  કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇

🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
 👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗

 *Contact Number* :- 9106743386 🤙 📱

 *Paradise India,* Ankleshwar.

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...