👉કાર્બન મોનોક્સાઈડ એ શું છે?
🔸કાર્બન મોનોક્સાઇડ એક સ્વાદહીન, રંગહીન, સુગંધહીન ગેસ હોય છે જે ઈંધણની બાષ્પમાં હોય છે જેમાં કાર્બન જેમ કે લાકડી, કોલસો અને ગેસોલીન હોય છે. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ એક બહુ ઘાતક બીમારી છે જે ત્યારે થાય છે. જ્યારે લોકો કાર્બન મોનોક્સાઇડને શ્વાસ દ્વારા અંદર લે છે.
👉કાર, નાના ગેસોલીન એન્જિન, સ્ટવ, લાલટેન, ભઠ્ઠી, તવી, ગેસ રેન્જ, પાણીથી ચાલતા હીટર અને કપડાં સૂકવવાનું ડ્રાયર પણ કાર્બન મોનોક્સાઇડ છોડી શકે છે. આ ઝેરનો પ્રભાવ ત્યારે વધુ પડે છે જ્યારે જે-તે યંત્ર એક બંધ રૂમમાં હોય છે અને તે રૂમમાં હવાની અવર-જવર ઓછી હોય છે અથવા હોતી નથી. કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગ આગ લાગતા ધુમાડો શ્વાસમાં લેનારા દર્દીઓને થઇ શકે છે. એક તૃતિયાંશથી વધુ દર્દીઓ કાર્બન મોનોક્સાઇડ પોઇઝનિંગને લીધે મૃત્યુ ત્યારે થાય છે જ્યારે તેઓ ઊંઘમાં હોય છે.
👉શરીરમાં હિમોગ્લોબીન સાથે શું કરે છે જેથી મૃત્યુ થાય છે?
🔸👉એકવાર અંદર લેવામાં આવેલો કાર્બનમોનોક્સાઇડ તમારા ફેફસા દ્વારા લોહીમાં જાય છે જ્યાં હીમોગ્લોબિન સાથે જોડાય છે જે સામાન્ય રૂપે ઓક્સિજન દ્વારા લેવામાં આવે છે. ઓક્સિજન હીમોગ્લોબિનના અણુઓમાં નથી જઇ શકતો જેમાં પહેલેથી જ કાર્બન મોનોક્સાઇડ જોડાયેલો હોય છે જેવો સંપર્ક ચાલુ રહે છે આ ગેસ વધુ ને વધુ હીમોગ્લોબિન અણુઓને પોતાના કબજામાં કરી લે છે અને ધીમે-ધઈમે પૂરતો ઓક્સિજન લઇ જવાની ક્ષમતા ઓછી કરી દે છે જેનાથી તમારા શરીરની ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ નથી થઇ શકતી. ઓક્સિજન વગર એક એક કોષનો નુકસાન થાય છે અને તે મરી જાય છે, ખાસ કરીને જરૂરી અંગોમાં જેમ કે મગજ અને હૃદય.
👉જ્યારે અશ્મિભૂત ઇંધણ મર્યાદિત માત્રામાં હવા (ઓક્સિજન) માં બાળવામાં આવે છે, ત્યારે દહનના ઉત્પાદનો CO અને H2O છે. કાર્બન મોનોક્સાઇડ સૌથી ખતરનાક હવા પ્રદૂષક છે. કાર્બન મોનોક્સાઇડ જ્યારે શ્વાસમાં લેવામાં આવે છે ત્યારે તે લોહીમાં હિમોગ્લોબિન સાથે કાર્બોક્સીહેમોગ્લોબિન બનાવે છે. કાર્બોક્સિહેમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરી શકતું નથી. આ પેશીઓમાં ઓક્સિજનની ઉણપનું કારણ બને છે, પરિણામે ગૂંગળામણ અને મૃત્યુ પણ થાય છે.
🔸હાલ ઠંડીની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન, ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારના લોકો ઠંડીથી બચવા માટે સગડીનો ઉપયોગ કરે છે. પરંતુ, તેમના ઉપયોગ કરવા સાથે થોડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે.
🔸 અમીત રાણા નુંકહેવું છે કે,
૧)બંધ રૂમમાં ક્યારેય પણ સગડી ના પ્રગટાવવી જોઈએ, ૨)તાપનું નહીં કરવું જોઈએ બંધ રૂમમાં.
૩)મચ્છરની કોઇલ કે દવા ચાલુ કરી રાતે સુઈ નહીં જવું.કારણ કે આગને કારણે નીકળતો કાર્બન મોનોક્સાઈડ જીવલેણ બની શકે છે.
૪) બંધ ગાડીમાં કોઈ દિવસ બેસવું નહીં ,હીટર લાંબા સમય ચાલુ રાખવું નહીં. એવું હોય તો સર્ક્યુલેશન ચાલુ કરો પરંતુ વધારે લાંબા સમય સુધી પણ નહીં રહેવું જોઈએ.
👉ભરૂચમાં " *પર્યાવરણ* *ક્ષેત્રે* " ( *Environment* 🌱🌽🌳🌿 *Field* ) બાબતે કોઈપણ વ્યક્તિને, વિદ્યાર્થીને , કૉલેજ સ્ટુડન્ટ કે પ્રકૃતિ પ્રેમીને કોઈ પ્રશ્ન હોય કે કોઈ ગાઈડન્સ જોઈતું હોય તો તેમજ કોઈ શાળામાં પ્રોજેક્ટ ની માહિતી કે પ્રાણી અને પક્ષી વિશેની માહિતી જોઈતી હોય તો અમોને સંપર્ક કરે:- 👇
🌱 *Amit Rana* 🌱
👉Environment Engineer
👉President, Paradise India, NGO.
👉 WeCanWin( For cancer )Organisation- Owner.
👉 Writer. 🖋️
👉 Businessman🚗
*Contact Number* :- 9106743386 🤙 📱
*Paradise India,* Ankleshwar.
No comments:
Post a Comment