એક દિવસ અંકલેશ્વરમાં આશુતોષ મંદિર પાસેથી ત્યાંના મહારાજને કોકટેલ નામનું પોપટ મળી આવ્યું હતું. મહારાજે મને કોન્ટેક્ટ કરી તે પોપટ ને સારવાર અપાવી.તે દિવસે તે પોપટ જાણે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતો હોય તેવું લાગતું હતું.
તેને ત્યાંથી મારા ઘરે લઈ આવ્યા.મારું ઘર તેના માટે તો અનોખું લાગે.તે દિવસે ૨ દિવસ સુધી કોઈ અવાજ કરતું ન હતુ કે દાણા પણ ખાતું ના હતું.
પણ આજે ખુશીની એ વાત છે કે તે આજે અમારી સાથે હરતુંમળતું થઈ ગયું છે.તો ચાલો આજે પોપટ સાથેની અનોખી સફરમાં,,,
વિશ્વ પોપટ દિવસ
વિશ્વ પોપટ દિવસ દર વર્ષે ૩૧ મેના રોજ ઉજવવામાં આવે છે.
પોપટ એક પારેલું પક્ષી છે. તેનું વૈજ્ઞાનિક નામ Sitacula crematory છે. તે માણસના અવાજની માફક નકલ કરે છે. તેમનું આયુષ્ય ૩૦ થી ૭૦ વર્ષ જેટલું પણ હોઈ શકે છે.
400થી વધારે જુદી-જુદી પ્રજાતિઓ આવેલ છે. વૈજ્ઞાનિકો દ્વારા એવું માનવામાં આવે છે કે પોપટ પાસે ચાર વર્ષના બાળક જેટલું મગજ હોય છે.
તેમની દુર્લભ પ્રજાતિ માં કાકા ફોટા તે ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે જે ઊડી શકતું ન હતું નથી તેમની ચાર ઘણી મજબૂત હોય છે.પોપટની એક જોડી જિંદગી સુધી સાથે રહે છે અને લાંબા સમય સુધી સાથે હોય છે.
એક તૃતીયાંશ જેટલી પોપટ ની વસ્તી આજે ભયજનક સ્થિતિમાં છે.
પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
( Environment Engineer)
Contact No:- ૮૪૬૦૨૮૬૮૯૨
No comments:
Post a Comment